RO પ્યોરીફાયર પર વર્ષના અંત સુધીમાં લાગી શકે છે પ્રતિબંધ, આ છે કારણ




જો તમે પણ ROનું પાણી પીઓ છો તો આ તમારા માટે જરૂરી ખબર છે. આ વાતની ખૂબ જ વધારે સંભાવના છે કે વર્ષના અંત સુધીમાં દેશભરના અમુક વિસ્તારોમાં RO પ્યોરીફાયરના પાણી પર સરકાર રોક લગાવી શકે છે. રોક લગાવતા પહેલા નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવશે. તેનું કારણ પાણીની ગુણવવત્તા અને માપદંડ છે. જેના આધારે સરકાર આ મોટો નિર્ણય લેશે. આજે લગભગ દરેક ઘરોમાં લોકો RO પ્યોરીફાયરનું જ પાણી પીએ છે.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે જ્યાં પ્રતિ લીટર પાણીમાં TDSનું સ્તર 500 એમજી મિલીગ્રામથી ઓછું છે, ત્યાં RO પ્યોરીફાયર પર રોક લગાવવાનું કહ્યું છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પર્યાવરણ અને વન મંત્રાલયને આ વર્ષના અંત સુધીમાં આ સંબંધમાં નોટિફિકેશ બહાર પાડવાનો આદેશ આપ્યો છે. આ મામલે બીજી સુનાવણી આવતા વર્ષે 25 જાન્યુઆરીના રોજ થશે.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના પ્રમુખ જસ્ટિસ આદર્શ કુમારની અધ્યક્ષતાની પીઠે મંત્રાલયને એ દલીલ પર વધારે સમય આપવા માટે માની ગઇ કે કોરોના વાયરસના કારણે હાલમાં આ મામલે આગળ વધવું મુશ્કેલ છે. નાખુશતા વ્યક્ત કરતા બેન્ચે કહ્યું કે, એક વર્ષ પછી પણ મંત્રાલય લોકડાઉનના આધારે સમય માગી રહ્યું છે. 31 ડિસેમ્બર 2020 સુધીમાં જરૂરી કાર્યવાહી પૂરી કરી લે.



TDS (ટોટલ ડિસોલ્વ સોલિડ્સ) એટલે પાણીમાં ઓગળેલા સૂક્ષ્મ પદાર્થ. જેમાં સોડિયમ, ફ્લોરાઇડ, આયર્ન, ક્લોરાઇડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, નાઇટ્રેટ વગેરે જેવા પદાર્થો સામેલ હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અભ્યાસ મુજબ, પ્રતિ લિટર પાણીમાં 300 એમજીથી ઓછાં TDS યોગ્ય માનવામાં આવે છે, જ્યારે 800થી 900 એમજી ખરાબ અને તેનાથી વધારે હોવા પર એ પાણી પીવું યોગ્ય માનવામાં આવતું નથી. પાણીમાં પ્રતિ લિટર 500 મિલીગ્રામ TDS હોવા પર RO કામ નથી કરતું. તેનાથી વિપરીત તે તેમાં રહેલાં ઘણાં મહત્ત્વપૂર્ણ ખનીજો દૂર કરે છે, જેના કારણે પાણીમાં રહેલાં મિનરલ્સ મળી નથી શકતા.


નિર્ધારિત માપદંડ કરતા ઓછું TDS ROનું પાણી પીવાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઇ શકે છે. જેમકે, હ્યદયને લગતી બીમારીઓ, થાક, માંસપેશીઓમાં સોજા, એંઠન, વારે વારે માથું દુખવું જેવા રોગ થઇ શકે છે.

પ્રાકૃતિક પાણીથી ઈમ્યૂનિટિ સિસ્ટમ મજબૂત બને છે

વિશેષજ્ઞોનું માનવું છે કે, પ્રાકૃતિક પાણી પીવાથી સારા મિનરલ્સ મળે છે. જે ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવી રાખે છે. ROના કારણે પાણીથી મળતા મિનરલ્સની માત્રામાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સાથે જ ઈમ્યૂનિટી પણ નબળી થઇ રહી છે. એ જ કારણ છે કે ઓછી ઉંમરમાં જ હાડકા અને એલર્જીથી સંબંધિત બીમારીઓ સામે આવવા લાગી છે. ડૉક્ટરો મોટે ભાગે દર્દીઓને ROના પાણીના સ્થાને સામાન્ય પ્યોરીફાયરનું પાણી પીવા કે ઉકાળેલું પાણી પીવા માટે કહે છે.

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation

  • ❇️Wall Painting tree - The Painting of Nature❇️ 👉Watch Now
  • ❇️Lord Ganesha Wall Painting❇️ Watch Now
  • ❇️Wall Painting | Basic Flower painting | One Strock Painting❇️ Watch Now
  • ❇️ Interior decorations-wall painting-Switch Board Painting❇️ Watch Now
  • ❇️ Charcoal painting | Tree Painting Technique for Beginners❇️ Watch Now
  • ❇️ Nail Art With Permanent Marker❇️ Watch Now
  • ❇️ DIY | Nail art ideas❇️ Watch Now
  • ❇️ Vegetable Handvo recipe | गुजराती हांडवो | મિક્ષ વેજીટેબલ હાંડવો બનાવની રીત❇️ Watch Now
  • ❇️ Pani Puri Recipe | પાણીપુરી માટેની પરફેક્ટ રીત| पाणि पुरी | Golgappa❇️ Watch Now
  • ❇️9Tanki Video Maker Application ❇️ Download Now
  • ❇️ Super Subway 2020 ❇️ Download Now
  • ❇️ WhatsApp Status Downloader ❇️ Download Now
  • ❇️ Send direct message without saving number to WhatsApp ❇️ Download Now
  • ❇️ Recover deleted message from WhatsApp ❇️ Download Now
  • 🎒 My School GSEB/NCERT એપ્લિકેશન દ્વારા ગમે ત્યાંથી વાંચો. Download Now
  • Comments